ધારાપુર પાસે પીવાના પાણીની લાઈનનું લીકેજની મરામત કરાઈ

શહેરાશહેરા તાલુકાના ધારપુર ગામ પાસે પસાર થતા રસ્તા ઉપર પીવાના પાણીની લાઈન પાંચ મહિના ઉપરાંત થી લીકેજ હોવાના સમાચાર સોમવારના રોજ પંચમહાલ સમાચાર દૈનિક પેપરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેને લઈને પાણી પુરવઠા ની ટીમ એ માજી સરપંચ કૈલાશબેન વાળંદ અને જાગૃત ગ્રામજન મહેન્દ્ર ભાઈની ઉપસ્થિતિમાં વણાકબોરી પીવાના પાણીની લાઈન લીકેજની મરામત તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. જોકે, આ પીવાના પાણીની લાઈન ની મરામત દિવસ દરમિયાન શરૂ રહેવા સાથે હવેથી આ જગ્યા ઉપર પાણીનો વેડફાટ થતો બંધ થતા જેને લઇને અહીંના જાગૃત ગ્રામજનોએ સંદેશનો આભાર માન્યો હતો.