બિહારમાં મહાગઠબંધનમાં રાજદ ૨૬ બેઠકો પર અને કોંગ્રેસ ૯ બેઠકો પર ચૂંટણી લડશે

  • પપ્પુ યાદવને પૂણયાથી ટિકિટ જોઈતી હતી. આરજેડીએ આ સીટ પરથી બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યા છે.

પટણા, લોક્સભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બિહારમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણી માટે છેલ્લા કેટલાક દિવસોથી પ્રયાસો ચાલી રહ્યા હતા. હવે બિહાર મહાગઠબંધનમાં સીટો વહેંચાઈ ગઈ છે. જ્યાં આરજેડીને ૨૬ સીટો મળી છે. જ્યારે કોંગ્રેસ ૯ બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે ડાબેરી પક્ષને પાંચ બેઠકો મળી છે.

સીટ વહેંચણીમાં કોંગ્રેસને પૂણયા સીટ મળી નથી. વાસ્તવમાં પપ્પુ યાદવને પણ પૂણયાથી ટિકિટ જોઈતી હતી. આરજેડીએ આ સીટ પરથી બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ કોંગ્રેસ નેતા પપ્પુ યાદવ આ બેઠક પરથી ચૂંટણી લડવા પર અડગ છે. પપ્પુ યાદવે વાત કરતા કહ્યું કે તે પૂણયા લોક્સભા સીટ પરથી ચૂંટણી લડશે. હવે કોંગ્રેસ નેતૃત્વએ નિર્ણય લેવાનો છે.

તેમણે કહ્યું કે પૂણયામાં કોંગ્રેસનો ઝંડો લહેરાશે. મૈત્રીપૂર્ણ લડાઈ થશે કે નહીં તે નેતૃત્વ જ કહેશે.કિશનગંજ, અરરિયા અને પૂણયામાં કોંગ્રેસ સત્તામાં રહેશે. નિશ્ર્ચિંત રહો, કોંગ્રેસ પાસે વિકલ્પ છે. પપ્પુ યાદવે વધુમાં કહ્યું કે ઔરંગાબાદ, વાલ્મિકીનગર, બેગુસરાય સીટો ન મળવાનું દુ:ખ છે. લોક્સભા ચૂંટણીને યાનમાં રાખીને, બિહારમાં મહાગઠબંધન વચ્ચે રાજ્યની ૪૦ લોક્સભા બેઠકો (લોક્સભા ચૂંટણી ૨૦૨૪)ની વહેંચણી અંગે સર્વસંમતિ સધાઈ તે પછી આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મહાગઠબંધનના તમામ પક્ષોના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં સીટની વહેંચણી સૌથી મહત્વનો મુદ્દો હતો. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે ૨૦૧૯માં પણ ૯ સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી પાર્ટીને માત્ર એક જ સીટ મળી હતી. જ્યારે આરજેડીને એક પણ સીટ મળી શકી નથી. એનડીએ ૪૦માંથી ૩૯ બેઠકો જીતી હતી, જેમાંથી ભાજપે ૧૭ બેઠકો જીતી હતી, નીતીશ કુમારની જનતા દળ યુનાઇટેડ માત્ર એક બેઠક પાછળ હતી અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ તમામ છ બેઠકો જીતી હતી.