
દાહોદ, ભારતના ચૂંટણી પંચ તરફથી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત ચૂંટણી તા. 07 મેના રોજ યોજાનાર છે. જે અન્વયે દાહોદ જીલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે દાહોદના દિવ્યાંગ મતદારો 100 ટકા મતદાન કરે તે હેતુથી તેઓ લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોનું પ્રતિનિધિત્વ વધે અને લોકો બુથ સુધી પહોંચે તે માટે દાહોદ જીલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે જટઊઊઙ એકટીવિટી હેઠળ મતદાન અંગે માર્ગદર્શન સાથે માહિતી પણ આપવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત સૌ લોકોએ અચૂકપણે મતદાન કરવા માટેની હાકલ સહિત પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ મતદારોને મતદાન માટે જાગૃત કરવાની સાથોસાથ હેલ્પલાઇન નં. 1950 વિશે પણ જાણકારી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.