દાહોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નગરાળા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદિર આરોગ્યમ પરમ્ ધનમ નીમનળિયા ખાતે RBSK પ્રોગ્રામ અંતર્ગત કિશોર કિશોરીઓને આરોગ્ય લગતી માહીતી અપાવમાં આવી. જેમ કે કિશોરાવસ્થામાં આવતા બાળકોમાં ફેરફાર અવાજ બદલાવો શારીરિક ફેરફાર જલ્દી વ્યસનની લત લાગી જવી તેમજ કિશોરીઓને માસિક ધર્મ વિશે સમજણ આપવામાં આવી તથા સેનેટરી પેડ અને પોષણ યુકત કીટ આપવામાં આવી. સમુદાયમાં ફેલાતા જુદા જુદા રોગો જેવા કે ટીબી, લેપ્રશી, મેલેરીયા, ડેન્ગ્યુ, સીકલ સેલ અંગે સમજ અપાવવામાં આવી અને આપણે આવી બીમારીઓથી કઈ રીતે બચી શકીએ તે અંગે સમજ અપાવવામાં આવી તથા કિશોર કિશોરીઓનું વજન ઉંચાઈ અને HB તપાસ કરવામાં આવી તેમજ તેમને બેગ, બોટલ, કંપાસ બોક્સ તો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.