લુણાવાડા જીલ્લા પંચાયત ખાતે શિક્ષણ મંત્રીના વરદ્દહસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ સમારોહ યોજાયો

લુણાવાડા, મહીસાગર જીલ્લાના લુણાવાડા જીલ્લા પંચાયત કચેરી ખાતે આજરોજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે નવીન ફરતું પશુ દવાખાનાનું લોકાર્પણ અને પ્રસ્થાન કરાવાયું હતું. વિરણીયા વિસ્તારના 10 ગામોના પશુપાલકોને સરકારની ફરતા પશુ દવાખાનાની સેવાનો લાભ મળશે.

આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, પશુપાલકો અને ખેડૂતો પોતાના પશુઓ તંદુરસ્ત હોય ત્યારે જ સમૃધ્ધ બની શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમ માનવીઓની ચિંતા કરી છે, એવી જ રીતે પશુઓની પણ ચિંતા કરી છે. સરકાર યોજનાની મદદથી આપના પશુઓની પણ કાળજી રાખે છે. હવે તમારે કોઈ ડોકટર શોધવા નહીં જવુ પડે માત્ર 1962 ઉપર કોલ કરશો એટલે મોબાઈલ વાન આપના આંગણે હાજર થશે.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, જીલ્લા કલેકટર નેહા કુમારી, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પશુપાલન અધિકારી એમ જી ચાવડા, જીલ્લા પંચાયત સદસ્ય બકુલાબેન ચૌહાણ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.