આદિત્ય ઠાકરેએ ગોખલે બ્રિજ નિર્માણ મુદ્દે મહારાષ્ટ્રના રાજ્યપાલને પત્ર લખ્યો

મુંબઇ, શિવસેના (યુબીટી)ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસને પત્ર લખ્યો છે. આદિત્ય ઠાકરેએ ગોખલે બ્રિજના નિર્માણના મુદ્દે મહારાષ્ટ્રના રાજ્યપાલને આ પત્ર લખ્યો છે. રાજ્યપાલને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, ગોખલે બ્રિજ મુદ્દે નિષ્પક્ષ તપાસની આશા છે અને તેથી મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે ગોખલે બ્રિજ વાહનચાલકોનો ઘણો સમય બચાવે છે, પરંતુ અંગ્રેજોના સમયમાં આ બ્રિજ જર્જરિત બની જતાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુલના રિડેવલપમેન્ટ બાદ એક લેન ટ્રાફિક માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. એ વાત સાચી છે કે મ્સ્ઝ્રએ ૨૦૦ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવ્યો છે, પરંતુ તેમાં પણ કંઈક ખોટું છે. અંધેરીમાં બહુપ્રતિક્ષિત ગોખલે બ્રિજના એક તબક્કાનું થોડા દિવસો પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ પુલ બે વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યો હતો અને તે જગ્યાએ નવા પુલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ બ્રિજ બંધ હોવાથી અહીંથી પસાર થતા સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડતો આ ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ ૨૦૧૮થી આ કારણોસર ચર્ચામાં છે. આ પુલનો એક ભાગ જુલાઈ ૨૦૧૮માં તૂટી પડ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. તેથી, ૭ નવેમ્બર, ૨૦૨૨ થી બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.