સંતરામપુરના મોટી સરસણ ગામે શિવરાત્રીનો મેળો ભરાયો

સંતરામપુર, સંતરામપુર તાલુકાના મોટી સરસાણ ગામે શિવરાત્રીનો મેળો ભરાયો ભીલોડીયા મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આશરે 40 વર્ષથી આ મેળો ભરાતો હોય છે. ગામના આજુબાજુના વેણા વાંકડી મોટી રેલ ગોધર માલવણ આશીપુરા ગોઠીબડા મોટાભાગના ગામના લોકો આ મેળામાં આવતા હોય છે. ભીલડીયા મહાદેવ મંદિર સૌથી પૌરાણિક અને જૂનું છે. આસ્થાનું પ્રતીક ગણાતું આ મંદિરમાં બાધા છોડાવવા માટે અને બાધા રાખવા માટે મોટા પ્રમાણમાં લોકો આવતા હોય છે.