માઓવાદી લિંક કેસમાં નિર્દોષ છૂટેલા ડીયુના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબા નિર્દોષ જાહેર

નવીદિલ્હી, દિલ્હી યુનિવર્સિટી ના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમને નક્સલવાદી સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. જીએન સાઈબાબા ઉપરાંત બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ વિનય જોશી અને જસ્ટિસ વાલ્મિકી એસએ મેનેઝીસની બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે જીએન સાઈબાબા અને અન્ય આરોપીઓની ૨૦૧૪માં માઓવાદી જૂથો સાથે સંકળાયેલા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાંથી જે આરોપીઓને રાહત મળી છે તેમાં જીએન સાઈબાબા, હેમ મિશ્રા, મહેશ તિર્કી, વિજય તિર્કી, નારાયણ સાંગલીકર, પ્રશાંત રાહી અને પાંડુ નરોટે (તેઓ મૃત્યુ પામ્યા છે) સામેલ છે. તમને જણાવી દઈએ કે બે ન્યાયાધીશોની બેન્ચે સાઈબાબાની અપીલ પર ફરીથી સુનાવણી કરી. કારણ કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના અગાઉના નિર્દોષ મુક્તિના આદેશને રદ કરી દીધો હતો.

આ પછી સાંઈબાબાએ ફરી અપીલ કરી. હકીક્તમાં, સાંઈબાબા અને અન્ય સહયોગીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર અંતિમ સુનાવણી ૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પૂર્ણ થઈ હતી. પરંતુ નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે માર્ચ ૨૦૧૭માં ગઢચિરોલીની સેશન્સ કોર્ટે સાઈબાબા અને અન્ય આરોપીઓને માઓવાદીઓ સાથે સંબંધ હોવાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

સેશન્સ કોર્ટના આદેશ સામે સાઈબાબાએ બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ રોહિત બી દેવની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ, બોમ્બે હાઈકોર્ટે સાઈબાબાને નિર્દોષ જાહેર કર્યા. પરંતુ સરકાર પક્ષે તેની સામે તરત જ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને સસ્પેન્ડ કરી દીધો હતો.

તમને જણાવી દઈએ કે જીએન સાઈબાબા દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર રહી ચૂક્યા છે. સાંઈબાબા વ્હીલચેર પર છે અને ૯૯ ટકા વિકલાંગ છે. હાલ તે નાગપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. સાઈબાબાનો જન્મ ભારતના આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરીના નગર અમલાપુરમમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તે લેખક અને માનવાધિકાર કાર્યર્ક્તા છે.