ગોધરા-લુણાવાડા રોડ એસ.આર.પી. ગૃપની સામે અંબિકા સોસાયટીમાં મારૂતીવાનમાં આવેલ બુકાની ધારને મહિલાએ પૂછપરછ કરતાં નાશી છુટીયા

ગોધરા,ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલા એસઆરપીની સામે અંબિકા નગર સોસાયટી આવેલી છે. જ્યાં ગઈકાલે બપોરના સમયે એક મારૂતિ વાનમાં પાંચ થી છ જેટલા બુકાનીધારી ઈસમો સોસાયટીની અંદર પ્રવેશ કરી આખી સોસાયટીમાં આટા ફેરા કરતા હતા. જેથી સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશો સહિત મહિલાઓએ તેમને પૂછપરછ કરતા તમામ મારૂતિ વાનમાં આવેલા બુકાનીધારી ઈસમો મારૂતિ વાન લઈને ભાગી છુટ્યા હતા.જે સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જ્યારે અંબિકા નગર સોસાયટી સ્થાનિક લોકો ગઇકાલે ધોળે દિવસે બનેલી ઘટનાને લઈને ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

ગોધરા શહેરના લુણાવાડા રોડ ઉપર આવેલા એસઆરપી ની સામે અંબિકા નગર સોસાયટીમાં ગઇકાલે બપોરના બેથી ચાર વાગ્યાની આસપાસ એક મારૂતિ વાનમાં પાંચથી છ જેટલા બુકાનીધારી શખ્સો સોસાયટીમાં પ્રવેશ કરી આટા ફેરા ફરીને કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે આવ્યા હતા.

જેમાંથી બે જેટલા ઈસમો નકાબ પહેરીને ચોરી કરવાના કરવાના ઇરાદે અથવા કોઈ ગુનાહિત કૃત્યને અંજામ આપવા માટે કોશિશ કરતા હતા.જેથી સોસાયટીની મહિલાઓએ બૂમાબૂમ કરતા મારૂતિ વાનમાં આવેલા ઈસમો ઊભી પુછડીએ નાસી છૂટ્યા હતા.

જ્યારે સમગ્ર ઘટનાને લઈને અંબિકા નગર સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશો સહિત મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ધોળે દિવસે પણ પોતાના ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે ધોળા દિવસે અંબિકા નગર સોસાયટીમાં એક મારૂતિવાનમાં પાંચથી છ બુકાનીધારી ઇસમો ગુનાહિત કૃત્યને અંજામ આપવાનો સમગ્ર વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે અંબિકા નગર સોસાયટીના રહીશો સમગ્ર ઘટનાને લઈને ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મારૂતિ વાનમાં આવેલા બુકાનીધારી શખ્સો સામે સીસીટીવીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે માંગ પણ કરી હતી.

ગોધરા શહેરમાં આવેલા મુસ્લિમ વિસ્તારમાં રખડતા કૂતરાઓની સમસ્યાને લઈને એ ગોધરા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દિન પ્રતિ દિન ગોધરા શહેરના મુસ્લિમ વિસ્તારમાં રખડતા કૂતરાઓ રસ્તામાંથી પસાર થતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને રસ્તા ઉપર થી દોડાવી અને બચકા ભરવાની ઘટનાઓને લઈને આવા કુતરાઓને વહેલી તકે પાંજરે પૂરી કાર્યવાહી કરવામાં આવે તે માટે રજૂઆત સાથે માંગ પણ ઉઠવા પામી છે.

ગોધરા શહેરના મુસ્લિમ વિસ્તારમાં આવેલા મોટાભાગના વિસ્તારોમાં રખડતા કૂતરાના ત્રાસ વધી રહેલા છે, જેના કારણે રોડ ઉપર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને પાછળ દોડી બચાવ ભરવાને લીધે અકસ્માત જેવા ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે સ્થાનિક લોકોની સલામતી અને સુરક્ષાની બાબતને લઈને અને અગામી દિવસોમાં મુસ્લિમ સમાજના લોકોનો પવિત્ર રમજાન માસની શરૂઆત થનાર છે. ત્યારે સવાર સાંજ દરમિયાન ઈબાદતા કરવા માટે મસ્જિદમાં જતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં કોઈ જાનહાની ન થાય તે માટે રખડતા કૂતરાઓને પાંજરે પૂરવામાં આવે તે માટે નગરપાલિકા પ્રમુખને એડવોકેટ હસનેન પ્રેસ વાલા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.