’પુષ્પા ૨’ પહેલા કરતા વધુ વિસ્ફોટક બનશે,અભિનેત્રી રશ્મિકા મંદન્ના

મુંબઇ, રશ્મિકા મંદન્ના આજકાલ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.રશ્મિકાએ જાપાનના ટોક્યોમાં ’ક્રંચાયરોલ એનિમ એવોર્ડ્સ ૨૦૨૪’માં હાજરી આપી હતી. આ દરમિયાન રશ્મિકા મંદન્નાએ એક ઈન્ટરવ્યુમાં પણ ભાગ લીધો હતો, જ્યાં અભિનેત્રીએ તેની આગામી ફિલ્મો વિશે વાત કરી હતી. તેણે અલ્લુ અર્જુન સ્ટારર ’પુષ્પા ૨’ વિશે પણ રસપ્રદ ખુલાસા કર્યા.

’પુષ્પા ૨’ વિશે રશ્મિકાએ કહ્યું કે આ ફિલ્મ પહેલા કરતા વધુ ધમાકેદાર બનવાની છે. ફિલ્મમાં તેના પાત્ર શ્રીવલ્લી વિશે રશ્મિકાએ કહ્યું, ’હવે તે ફિલ્મમાં પુષ્પાની પત્ની છે અને તેના પર હવે ઘણી જવાબદારીઓ છે. દર્શકોને પુષ્પાની સિક્વલમાં ઘણું ડ્રામા અને એક્શન જોવા મળશે, જે પહેલા ભાગ કરતાં ઘણું વધારે છે.

ફિલ્મના દિગ્દર્શક સુકુમાર સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું, ’સુકુમાર જેવા પરફેક્શનિસ્ટ ડિરેક્ટર સાથે કામ કરવું અદ્ભુત હતું. ફિલ્મની સાથે, લોકોને તેના કલાકારો પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હોય છે, હવે તે કલાકાર પર નિર્ભર કરે છે કે તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ કેટલું આપી શકે છે. પુષ્પાની સિક્વલ દ્વારા ફરી એકવાર જૂના કલાકારો સાથે કામ કરવા અંગે રશ્મિકાએ કહ્યું કે આ એક પાર્ટી કરવા જેવું છે.

રશ્મિકાએ આગળ કહ્યું, ’અલ્લુ અર્જુન, સુકુમાર અને બાકીની ટીમ સાથે ફરી કામ કરવાની મજા આવે છે. આટલા લાંબા સમય સુધી કામ કરીને અમે બધા એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા છીએ. હવે ઘર જેવું લાગે છે. નોંધનીય છે કે સુકુમાર અને અલ્લુ અર્જુન ચોથી વખત ’આર્યા’ અને હવે ’પુષ્પા’ સાથે કામ કરી રહ્યા છે. સુકુમારે આર્યા ફિલ્મના બે ભાગ પણ બનાવ્યા.

’પુષ્પા ૨’માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ઉપરાંત ફહદ ફૈસિલ, જગપતિ બાબુ, પ્રકાશ રાજ, સુનીલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે, હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. તે જ સમયે, નિર્માતાઓએ તેને સ્વતંત્રતા દિવસના અવસર પર ૧૫ ઓગસ્ટના રોજ વિશ્ર્વભરમાં રિલીઝ કરવાની જાહેરાત કરી છે.