ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત

વડોદરા,એક તરફ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ છે. કેટલાક વિસ્તારોમાં તો કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. જો કે વડોદરામાં વરસાદી માહોલ ન હોવા છતા એક ગામમાં મકાનની દિવાલ ધરાશાયી થઇ છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયુ છે.

વડોદરામાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયુ છે. ડભોઇના કરાલીપુરા ગામે જૂના મકાનની દિવાલ ધરાશાયી થતાં બે લોકો કાટમાળમાં દટાયા હતા. દિવાલ ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દટાયેલા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. બનાવને લઈને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અન્ય એક ઇજાગ્રસ્તને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.