હાલોલ જ્યોતિ સર્કલ પાસે પાવાગઢ દર્શન કરી બાઈક ઉપર પરત ફરતી વખતે બાઈક ખાડામાં ખાબકડતા એક વ્યકિતનું મોત

  • પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ થતાં વડોદરા રિફર કરાયો.

હાલોલ,હાલોલ બાયપાસ રોડ જ્યોતિ સર્કલ પાસે વડોદરાથી બાઈક ઉપર પાવાગઢ દર્શન માટે આવતા હોય દરમિયાન જ્યોતિ સર્કલ પાસે રોડ સાઈડના ખાડામં બાઈક પડી જતાં બાઈક સવાર બે વ્યકિત પૈકી એકનું ધટન સ્થળે મોત જ્યારે બીજાને ઈજાઓ થતાં હાલોલમાં પ્રાથમિક સારવાર આપી વડોદરા રીફર કરવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા માંજલપુર ખાતે રહેતા મુકેશ વ્યાસ અને અનિલ પાંડુરાજ ઠાકોર બાઈક લઈને પાવાગઢ દર્શન માટે આવ્યા હતા અને દર્શન કરી બાઈક ઉપર વડોદરા જતાં હતા. દરમિયાન હાલોલ બાયપાસ રોડ જયોતિ સર્કલ પાસે રોડ સાઈડના કોતરનું ધોવાણ અટકાવવા માટે બનાવેલ સંરક્ષણ દિવાલ કુદીને બાઈક ઉંડાખાડામાં ખાબકી હતી. બાઈક ખાડામાં પડતા નજીકમાં બાંધકામ સાઈડ ઉપર કામ કરતા લોકો દોડી આવ્યા હતા. જ્યાંં ખાડામાં પડેલ બે બાઈક ચાલક પૈકી મુકેશ વ્યાસનું ધટના સ્થળે મોત નિપજાવા પામ્યુંં હતું. જ્યારે અનિલ ઠાકોરને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે હાલોલ રેફરલમાં ખસેડીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. ધટનાની જાણ થતાં હાલોલ પોલીસ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે.