ઉદ્ધવ પણ ગુસ્સે,ઇન્ડિયા માં સીટ વિતરણમાં વિલંબ વચ્ચે ૧૮ સીટ પર દાવો

મહારાષ્ટ્ર,મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી નેતાઓ વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના એ લોક્સભાની ૪૮માંથી ૧૮ બેઠકો પર તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. જેમાં મુંબઈની ૬માંથી ૪ લોક્સભા સીટોનો પણ સમાવેશ થાય છે. ઉદ્ધવ સેનાના આ પગલાને મહારાષ્ટ્રની ૧૮ લોક્સભા સીટો પર તેની દાવેદારી તરીકે જોવામાં આવી રહી છે.

શિવસેનાએ મુંબઈ દક્ષિણ, મુંબઈ દક્ષિણ મય, મુંબઈ ઉત્તર પશ્ર્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ લોક્સભા બેઠકો માટે તેના ચૂંટણી સંયોજકોની નિમણૂક કરી છે. આ દર્શાવે છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તેના સાથી પક્ષો કોંગ્રેસ અન ેશરદ જૂથ માટે મુંબઈમાં માત્ર ૨ બેઠકો છોડવા તૈયાર છે. બેઠકોની વહેંચણી અંગે સ્ફછની છેલ્લી બેઠક ૨ ફેબ્રુઆરીએ યોજાઈ હતી. આ પછી તરત જ મહારાષ્ટ્રના પૂર્વ CM અશોક ચવ્હાણ કોંગ્રેસ છોડીને મ્ત્નઁ માં જોડાયા હતા.

કોંગ્રેસને આ મોટો ફટકો પડ્યા પછી સ્ફછ નેતાઓમાં કોઈ ચર્ચા થઈ નથી. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી એ પણ બેઠક વહેંચણી અંગે સ્ફછની છેલ્લી બેઠકમાં ભાગ લીધો હતો. પ્રકાશ આંબેડકરે સ્ફછ માં સીટ વહેંચણી અંગે નિર્ણય લેતા પહેલા કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે મહા વિકાસ અઘાડીની આગામી બેઠક ૨૨ ફેબ્રુઆરીએ યોજાય તેવી શક્યતા છે. અહીં તમને જણાવી દઈએ કે, અવિભાજિત શિવસેનાએ મ્ત્નઁ સાથે ગઠબંધન કરીને ૨૦૧૯ની લોક્સભા ચૂંટણી લડી હતી. તેણે મહારાષ્ટ્રની ૪૮માંથી ૨૨ બેઠકો પર તેના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ૧૮ બેઠકો જીતી હતી, જેમાંથી ૩ મુંબઈમાં હતી. જૂન ૨૦૨૨માં શિવસેનાના ૪૦ ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. આ પછી, પક્ષ પરના દાવાને લઈને ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે લડાઈ થઈ. ચૂંટણી પંચે એકનાથ શિંદ જૂથને જ અસલી શિવસેના ગણાવી હતી. આ રીતે શિંદે જૂથને પાર્ટીના પ્રતીક અને નામ પર અધિકાર મળી ગયો હતો.

ઉદ્ધવ ઠાકરે જૂથે પોતાનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) રાખ્યું હતું અને તેનું ચૂંટણી પ્રતીક સળગતી મશાલ હતું. તેમણે મ્ત્નઁ સાથે મહાગઠબંધન કરીને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી. મહાયુતિ સરકારમાં એકનાથ શિંદે ઝ્રસ્ અને દેવેન્દ્ર ફડણવીસ ડ્ઢઅઝ્રસ્ બન્યા. હવે અજિત પવારની દ્ગઝ્રઁ પણ મહાયુતિનો હિસ્સો છે. કોંગ્રેસના નેતાઓની શ્રેણીબદ્ધ સત્તાધારી ગઠબંધનમાં જોડાયા પછી, ઉદ્ધવ સેના ૨૦૧૯માં તેના ઉમેદવારોએ જીતેલી તમામ વર્તમાન બેઠકો પર દાવો કરી રહી છે.