મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૯ માર્ચે નાસિક શહેરમાં તેની વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું

મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઠાકરેની પાર્ટી સ્દ્ગજી NDA માં સામેલ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ નો સમૂહ વધુ વધી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના NDAમાં સામેલ થશે. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે NDA પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી અને એક કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી.

આ બેઠક બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજ ઠાકરે ટૂંક સમયમાં મહાયુતિના ભાગીદાર બની શકે છે. રાજ ઠાકરેને ટૂંક સમયમાં દિલ્હી બોલાવવામાં આવી શકે છે. તેઓ અહીં ભાજપના વરિષ્ઠ નેતાઓને મળશે.આ પહેલા ૧૫ ફેબ્રુઆરીએ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘લોકમત’ કાર્યક્રમમાં કહ્યું હતું કે રાજ ઠાકરે સાથે આવશે કે નહીં તે તમને જલ્દી જ ખબર પડશે. તેમણે કહ્યું હતું કે, “સમય જ કહેશે કે NDA હવે ક્યાં હશે. રાજ ઠાકરે સાથે અમારી સારી મિત્રતા છે. અમે બેઠકો કરતા રહીએ છીએ.”

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ૯ માર્ચે નાસિક શહેરમાં તેની વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું છે, જ્યારે પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરે રાજ્યભરના પદાધિકારીઓ અને કાર્યર્ક્તાઓની સભાને સંબોધશે. તેઓ ૭ માર્ચે મોડી સાંજે નાસિક પહોંચવાના છે. ૮મી માર્ચે તેઓ પાર્ટીના અધિકારીઓની બેઠક કરશે. તેઓ સાંજે કાલારામ મંદિરમાં ‘આરતી’ કરશે.

નરેન્દ્ર મોદી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પછી મંદિરની મુલાકાત અને આરતી કરનાર રાજ ઠાકરે ત્રીજા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ હશે. સ્દ્ગજી શહેર એકમના પ્રમુખ સુદામ કોમ્બડેએ જણાવ્યું હતું કે શહેર એકમ નાસિકથી લોક્સભા ચૂંટણી લડવાનો આગ્રહ રાખશે. જોકે, આખરે તેઓ પાર્ટીના વડાના આદેશનું પાલન કરશે. કોમ્બડેએ કહ્યું, “નાસિકના લોકોએ ભૂતકાળમાં પણ ઠાકરે પર પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. અમે ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા પર હતા, મેયર પણ પાર્ટીના હતા.