PM મોદીનો ગુજરાત પ્રવાસ: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટ અને નવસારીમાં પણ ભવ્ય કાર્યક્રમ

અમદાવાદ, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ પહેલા વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન રાજકોટ તેમજ દ્વારકાવાસીઓને મોટી ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોક્સભા ચૂંટણી પહેલા તા. ૨૨ તેમજ ૨૪ અને ૨૫ દરમ્યાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રથમ દિવસ એટલે કે ૨૨ તારીખે વડાપ્રધાન વિસનગરનાં તરભ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ત્યાર બાદ તેઓ તા. ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે.

૨૨ ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનનાં સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ હાજરી આપશે. તેમજ તરભ ખાતે વિકાસનાં કાર્યોનું ભૂમિ પૂજન તેમજ લોકાર્પણ કરશે. તેમજ કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નીરીક્ષણ. નવસારીમા પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ. તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવા આવશે. ત્યારે બાદ તેઓ ૨૩ ફેબ્રુઆરીનાં રોજ તેઓ વારાસણી જશે. અને તા. ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીનાં રોજ ફરી ગુજરાત આવશે.

વડાપ્રધાન મોદી તા. ૨૪ તેમજ ૨૫ નાં રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે. જેમા રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ રાજકોટ ખાતે જાહેર સભા સંબોધશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ધાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. તેમજ દ્વારકા ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનનાં દર્શન કરશે.