
નવીદિલ્હી,કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે રાહુલના વાયનાડ જવાની માહિતી આપી છે. શુક્રવારે સવારે વાયનાડમાં જંગલી હાથીના હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને કોઝિકોડ મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ પછી રાહુલ ગાંધીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં જવાનું નક્કી કર્યું છે. મૃતક વ્યક્તિ વિશે માહિતી આપતા વન અધિકારીએ જણાવ્યું કે તે વન વિભાગનો ઈકો-ટૂરિઝમ ગાઈડ હતો અને પ્રખ્યાત પર્યટન સ્થળ કુરુવા આઈલેન્ડ પર તૈનાત હતો.
રાહુલ ગાંધીની વાયનાડ મુલાકાત વિશે માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, વાયનાડમાં રાહુલ ગાંધીની હાજરીની તાતી જરૂર છે. તેઓ શનિવારે સાંજે પાંચ વાગ્યે વારાણસીથી વાયનાડ જવા રવાના થયા હતા. તેઓ (રાહુલ ગાંધી) રવિવાર, ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૩ વાગ્યે પ્રયાગરાજથી ભારત જોડો ન્યાય યાત્રા ફરી શરૂ કરશે.
જંગલી હાથીના હુમલામાં ઇકો-ટૂરિઝમ ગાઇડના મૃત્યુ પછી, મુખ્ય વિરોધ પક્ષો અને મ્ત્નઁએ સામાન્ય લોકો પર પ્રાણીઓના હુમલાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે જિલ્લા સ્તરે બંધનું એલાન કર્યું હતું.
કોંગ્રેસ યાત્રા શુક્રવારે ઉત્તર પ્રદેશમાં પ્રવેશી હતી. આ પછી યાત્રા રાયબરેલી થઈને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પૂર્વથી પશ્ર્ચિમ મણિપુર સુધી શરૂ થયેલી કોંગ્રેસની આ યાત્રા ૧૫ રાજ્યોમાંથી ૬,૭૦૦ કિલોમીટરનું અંતર કાપીને મુંબઈમાં સમાપ્ત થશે. તેનો ઉદ્દેશ્ય રસ્તામાં સામાન્ય લોકોને મળીને ’ન્યાય’ના સંદેશને પ્રકાશિત કરવાનો છે.