જ્ઞાનવાપી કેસ: વ્યાસ ભોંયરામાં પૂજાને પડકારતી અરજી પર ચુકાદો અનામત

પ્રયાગરાજ, અલ્હાબાદ હાઈકોર્ટે વ્યાસ તહખાનામાં પૂજા કરવાના અધિકારને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ પહેલા જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા હતા.

વારાણસીમાં જ્ઞાનવાપી ભોંયરામાં કાશી વિશ્ર્વનાથ મંદિર ટ્રસ્ટને પૂજા કરવાની પરવાનગી આપતા જિલ્લા ન્યાયાધીશના આદેશની માન્યતાને પડકારતી અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગત સોમવારે પણ લગભગ દોઢ કલાક સુધી ચાલેલી સુનાવણીમાં મસ્જિદ પક્ષે આક્ષેપ કર્યો હતો કે જિલ્લા ન્યાયાધીશે હિન્દુ પક્ષના પ્રભાવ હેઠળ આ આદેશ આપ્યો હતો. જ્યારે મંદિર પક્ષના એડવોકેટ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અપીલર્ક્તા એડવોકેટની વિનંતી પર કોર્ટે આગામી સુનાવણીની તારીખ ૧૫ ફેબ્રુઆરી નક્કી કરી હતી. આ પહેલા, સુનાવણી શરૂ થતાંની સાથે જ, અપીલર્ક્તા વતી પૂરક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી.

ઓર્ડરની પ્રમાણિત નકલ દાખલ કરવામાં આવી હતી. અપીલ દાખલ કરવાની ખામીને દૂર કર્યા પછી, કોર્ટે નિયમિત નંબર આપવાનો આદેશ આપ્યો. વાદી વિપક્ષના વકીલે કલમ ૧૦૭ અરજી દાખલ કરી, જે ફાઇલ પર મૂકવામાં આવી હતી.

મસ્જિદ પક્ષના એડવોકેટ પુનીત ગુપ્તાએ સુપ્રીમ કોર્ટના દાખલાઓને ટાંકીને દલીલ કરી હતી કે કોર્ટ વચગાળાના આદેશ દ્વારા અંતિમ રાહત આપી શકે નહીં. વિવાદાસ્પદ કેસમાં, ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપીને, ખરેખર સિવિલ દાવો સ્વીકારવામાં આવ્યો છે.