પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ),પંચમહાલ: પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયથી મારા પાકા ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું દાદુભાઈ મેઘવાળ

  • કાચા મકાનને કારણે અનેક સમસ્યાઓ વેઠી,સરકારની આવાસ યોજના અમારા માટે આશિર્વાદ.

ગોધરા, અન્ન અને વસ્ત્રની પ્રાથમિક જરૂરિયાત પૂરી થયા બાદ દરેક વ્યક્તિનું સપનું એક ઘર મેળવવાનું હોય છે. દેશના દરેક નાગરિકને પાયાની સુવિધાઓ ધરાવતા પાકા મકાનની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના છેવાડાના નાગરિકો માટે આશિર્વાદ સમાન બની રહી છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના લીલેસરા ગામના લાભાર્થી દાદુભાઈ રાજુભાઈ મેઘવાળને વર્ષ 2022-23 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)નો લાભ મળ્યો અને તેમને રહેવા માટે પાકી છત મળી. તેઓ જણાવી રહ્યા છે કે, પહેલા તેઓ કાચા મકાનમાં રહેતા હતા જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તેમને આ યોજના અંતર્ગત રૂ.1,20000/- ની સહાય મળતા તેમણે પોતાના સ્વપ્નનું પાકું મકાન બનાવ્યું છે. તેઓ કહે છે કે, આ યોજના અમારા માટે આર્શીવાદરૂપ નિવડી છે. નવા મકાનમાં તેઓ કોઈપણ સમસ્યા વગર સુખ શાંતિથી રહે છે.તેઓ સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.