ઘોઘંબાના આંબાખુટ ગામે 30થી વધુ લોકોને શ્વાને બચકાં ભર્યા

ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના આંબાખુટ ગામે રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનો કાંપી રહ્યા છે. શ્વાને રસ્તે ચાલતા બાળકો સહિતને બચકાઓ ભરીને ઈજાઓ પહોંચાડી આતંક મચાવ્યો છે. આંબાખુટ ગામે રખડતા શ્ર્વાને આતંક મચાવીને 10 બાળકો સહિત ગ્રામજનોને કરડી જતાં ઈજાઓ પહોંચી હતી. રખડતા શ્વાનના કરડવાથી બચવા એક ગ્રામજનનો હાથ તુટી જતા ફ્રેકચર પણ થયુ હતુ. ત્યારે ગામમાં અત્યાર સુધી રખડતા શ્વાને 30થી વધુ લોકોને બચકા ભરીને ઈજાઓ પહોંચાડી હતી. શ્વાનના આતંકથી બાળકો ધરની બહાર નીકળતા નથી. ગામમાં 30 થી વધુ લોકોને શ્ર્વાને કરડતા દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી હતી.જેથી આ રખડતા શ્ર્વાનને પકડવાની ગ્રામજનોએ માંગ કરી હતી.