સંંતરામપુરના ઉખરેલી ગામે ખેતરમાં આગ લાગતા ધાસ બળીને ખાખ

સંતરામપુર,સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે ખેડૂતના ખેતરમાં આકાશ આગ લાગવાથી પશુઓનું ઘાસ બળીને ખાખ થઈ. સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે ખેડૂતના ખેતરમાં આકસ્મિત આગ લાગવાના કારણે ખેતરની અંદર મૂકેલું ઘાસના ગાંઠડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ચારે બાજુ આગ ફેલાતા ગામના લોકો દોડી આવેલા હતા. તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર દ્વારા આગને બુજાવવામાં આવેલી હતી.