સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નવ મતદાતા સંમેલન યોજાયો

સંંતરામપુર,સંતરામપુર આદિવાસી આર્ટસ એન્ડ કોમેર્સ કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલન યોજાયો. જેમાં વરર્ચ્યુઅલ માધ્યમ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પેહલી વાર વોટ આપશે તેવા કોલેજના યુવાનોને વોટિંગનું મહત્વ અને વોટિંગની તાકાતની સમજ આપી વોટિંગ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમા જીલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, સંતરામપુર શહેર પ્રમુખ સંદીપ ભોઈ, કોર્પોરેટર સંદીપ પરમાર સહીતના આગેવાનો કોલેજ ના આદ્યાપકો તેમજ મોટી સંખ્યા મા નવા મતદાતા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.