ગોધરા દયાળના સર્વે નં.142,144માં ના.કલેકટર હુકમના બીનખેડુત હોવાની એક સર્વે નંબરમાં અસર આપવાની બાકી હતી. તે નોંધની અસર અપાશે કે નોંધ નં.2195ની અસર અપાશે

ગોધરા, ગોધરા મોજે દયાળના સર્વે નં.142,144માં મામલતદાર દ્વારા 10/7/76ના રોજ વેચાણની નોંધ પાડવામાં આવી હતી. તે આ નોંધ ના.કલેકટર દ્વારા આર.ટી.એસ.રીવીઝન કેસ ચલાવીને લેનાર બીનખેડુત હોય તો વેચાણની નોંધ રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમની એક જ સર્વે નંબરમાંં અસર અપાઈ હતી. આ સર્વે નં.માંં ના.કલેકટરના આર.ટી.એસ. રીવીઝન હુકમની અસર અપાઈ ન હતી. તેમના દ્વારા આ સર્વે નંબરમાં બીજાને વેચાણ દસ્તાવેજ કરી આપવામાંં આવ્યો હતો. જેના દ્વારા વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હતો. તેના દ્વારા તા.6/1/2024ના રોજ બક્ષીસનો દસ્તાવેજ કરી આપતાં આ નોંંધમાં ના.કલેકટરના હુકમની 943 નોંધની અસર અપાવશે કે નોંધ નં.2195 તા.6/1/2024ની નોંધની અસર અપાવશે તે જોવાનું રહ્યું.