દિલ્હીના પીતમપુરામાં ચાર માળની ઈમારતમાં આગ લાગતા એક જ પરિવારના ૫ લોકોના મોત

નવીદિલ્હી, ઉત્તર પશ્ચિમી દિલ્હીના પીતમપુરા વિસ્તારમાં ગુરુવાર રાતે એક ચાર માળની ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગની ચપેટમાં આવવાથી એક જ ઘરના સાત લોકો આવી ગયા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગની લપેટોમાં આવી જવાથી એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થઈ ગયા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રાતના લગભગ ૮ વાગ્યે પીતમપુરામાં આગની સૂચના મળી હતી. તરત ૮ ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને રાહત તથા બચાવ કામ શરુ કર્યું હતું. ઘરમાં ફસાયેલા ૭ લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી ૩ મહિલાઓ અને ૨ પુરુષ સામેલ છે. હોસ્પિટલ લઈ જતાં પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા.

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રાતના લગભગ ૮ વાગ્યે પીતમપુરામાં આગની સૂચના મળી હતી. તરત ૮ ગાડીઓને ઘટનાસ્થળ પર પહોંચીને રાહત અને બચાવનું કામ શરુ કરી દીધું છે. ઘરમાં ફસાયેલા ૭ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાં ૩ મહિલામાં અને ૨ પુરુષ સામેલ છે. હોસ્પિટલમાં લઈ જતાં પાંચ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે.