ઇઝરાયેલનો દક્ષિણ ગાઝામાં હુમલો : પેલેસ્ટાઇનના ૧૬ નાગરિકોનાં મોત

રફા,ઇઝરાયેલે ઉત્તર ગાઝા પછી હવે દક્ષિણ ગાઝામાં કરેલા હુમલામાં ૧૬ પેલેસ્ટાઇનીના મોત થયા છે. તેમા અડધા તો બાળકો છે. આ વિસ્તારમાં મોટાપાયા પર નાગરિકોએ આશ્રય લીધો છે. આ ઉપરાંત ફ્રાન્સ અને ક્તારને વચ્ચે રાખીને થયેલા ડીલ મુજબ હમાસે પકડેલા ડઝનેક બંધકોને દવાઓ પહોંચી છે કે નહી તેના અંગેનું કોઈ અપડેટ જાણવા મળ્યું નથી.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને ૧૦૦ દિવસ થઈ ગયા છે. સાતમી ઓક્ટોબરના રોજ થયેલા આતંકવાદી હુમલામાં હમાસે ઇઝરાયેલની સરહદી સુરક્ષા હરોળ તોડીને ૧,૨૦૦થી વધુ ઇઝરાયેલીઓની હત્યા કરી હતી અને ૨૫૦થી વધુને બંધક બનાવ્યા છે.

તેના પછી ઇઝરાયેલે તેની ઇતિહાસની અત્યાર સુધી વિનાશક લશ્કરી કાર્યવાહી શરુ કરી છે. તેના ભાગરુપે તેણે ઉત્તર ગાઝા સાફ કરી નાખ્યું છે. તેમા ૨૫ હજારથી વધારે પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. ૨૩ લાખની વસ્તીમાંથી ૮૫ ટકા એટલે કે ૨૦ લાખ લોકો વિસ્થાપિત થઈ ગયા છે. તેમા અડધા ઉપરાંત તો સ્ત્રીઓ અને બાળકો છે. તેની સાથે ઇઝરાયેલે હમાસના નવ હજાર આતંકવાદીને ખતમ કરવાનો દાવો કર્યો છે.તેની સામે ઇઝરાયેલના પણ લગભગ ૨૦૦થી વધુ સૈનિક માર્યા ગયા હોવાનું જણાવ્યું છે.

પેલેસ્ટાઇની નાગરિકોના મોત માટે પણ ઇઝરાયેલને હમાસને જવાબદાર ઠેરવ્યુ છે. ઇઝરાયેલનું કહેવું છે કે હમાસને તેના કેન્દ્રો માનવ વસાહતોની અંદર બનાવવાના લીધે આ સ્થિતિ સજાઈ છે.

હમાસે બંધક બનાવેલા ઇઝરાયેલીઓ અંગે ફ્રાન્સ અને ક્તારને મધ્યસ્થી ને રાખીને તે કરાર કર્યો છે કે ઇઝરાયેલી બંધકો માટે જનારા દવાના એક બોક્સના બદલામાં હજાર પેલેસ્ટાઇનીઓને દવા અને ખોરાક મળે તથા માનવતાવાદી સહાય મળે.

ક્તારે મોડી રાતે તે વાતને સમર્થન આપ્યું હતું કે દવાઓ ગાઝામાં પ્રવેશી ચૂકી છે. પરંતુ આ દવાઓ બંધકોને આપવામાં આવી છે કે નહી તેની હજી સુધી ખબર પડી નથી.