22 જાન્યુઆરી અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાને લઈ મહીસાગર પોલીસ દ્વારા લુણાવાડા ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું

લુણાવાડા,આવનાર 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે. જેને લઈને સમગ્ર જગ્યાએ સરપ્રાઇઝ ચેકીંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જીલ્લા પોલીસ તંત્ર સતર્ક બની સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા બસ સ્ટેશન, બાગ-બગીચા, તેમન ધાર્મિક સ્થળો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં અચનાક સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

મહીસાગર જીલ્લામાં હાલ જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ બંદોબસ્ત રાખવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની ટીમ તેમજ ડોગ સ્કોવર્ડ ટીમ સહિત જીલ્લા પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો, ભીડભાડ વાળા વિસ્તારમાં વિવિધ સામાનોની તપાસ હાથ ધરી અચાનક સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારે અચાનક ચેકીંગને લઈ શહેરવાસીયોમાં આશ્ચર્ય સર્જાયું હતું. જોકે, પોલીસની આ કામગીરીમાં લોકોએ પણ સહકાર આપ્યો હતો અને પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધર્યું હતું.