સુજલામ સુફલામ કેનાલમાં 2 બાળકો ડૂબ્યા: મહીસાગરના વડાગામ પાસે ઘટના ઘટી, સ્થાનિક તરવૈયાએ શોધખોળ હાથ ધરી

કડાણા, કડાણા ડેમ માંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં ફરીએકવાર બાળકો ડૂબી જવાની ઘટના બની છે. જિલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ પાસે આવેલ મકરના મુવાડા ગામે પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં બે બાળકો ડૂબી જવાની ઘટના બની છે.મળતી પ્રાથમિક માહિતી અનુસાર શાળામાંથી છૂટીને બે બાળકો પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હોવાનું અનુમાન છે. સમગ્ર ઘટના બનતા સ્થાનિક તરવૈયા દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે બાકોર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બાળકો ક્યાંના છે, તે અંગેની હજી કોઈ માહિતી મળી નથી. બીજી તરફ કડાણા ડેમ માંથી સુજલામ સુફલામ કેનાલમાં 700 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જે હાલ બંધ કરવામાં આવ્યું છે.