સડક સુરક્ષા, જીવન રક્ષા: એ આર ટી ઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉદ્દઘાટન સમારોહ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયો

  • ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે : જીલ્લા કલેક્ટર.

મહીસાગર, માર્ગ અકસ્માતો થતાં અટકાવવા અને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે મહીસાગર જીલ્લામાંએ આરટીઓ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2024 ઉદ્દઘાટન સમારોહ કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

જીલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો વિષય છે. લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે તે આવશ્યક છે. વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા થાય અને નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોનાં માહિતગાર અને જાગૃત્ત થાય હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડી.વાય.એસ.પી. ચાવડા, એઆરટીઓ સી.ડી. પટેલ સહિત એ.આર.ટી.ઓ.ની કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ સહભાગી બન્યાં હતાં.