પ્રાણ જાય પણ વચન ના જાયે ને ખરા અર્થમાં સાબીત કર્યું મહીસાગરના મલેકપુર પાસે આવેલ ઝરખવાડાના રામ ભક્તે

લુણાવાડા, સમગ્ર દેશમાં રામ મંદીર સ્થાપનને લઇ દરેક હિંદુ આંનદની લાગણી અનુભવી રહ્યો છે અને ભગવાન શ્રીરામના મંદિર સ્થાપનને લઇને પણ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ તેમજ પત્રીકા વિતરણ કરી રહ્યા છે. ત્યારે વર્ષો પછી હિદુંની આસ્થા અને પ્રતીક્ષાનો હવે અંત થઈ રહ્યો છે. જેને લઇ દરેક ગામ અને ઘરે ઘરે દિવાળી જેવો મહાલો અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાય એવા રામ ભક્તો છે. જેઓ રામ માટે કેટકેટલીય પ્રતિજ્ઞા સાથે આજે પણ જીવી રહ્યા છે અને કેટલાય લોકો પ્રતિજ્ઞા સાથે દેવલોક પણ થઇ ગયા. બીજી તરફ રામભક્તો પોતાની ભક્તિને અલગ અંદાજમાં પણ દર્શાવી રહ્યા છે. ત્યારે મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ઝરખવાડા ગામના વાતની દેવસિંગભાઈ દલાભાલભાઈ માલીવાડે 1990 માં કારસેવકો સાથે સેવામાં ગાય હતા. ત્યાંના દ્રશ્ય જોઈ મન વિચલિત થયું કે ભગવાન રામનું ઘર નથી. ત્યારે તેમણે ત્યાં પ્રતિજ્ઞા લીધી કે તેમનું નવું ઘરનું નિર્માણ થશે તો હું મારી દાઢી, વાળ ઉતારીશ 35 થી વધુ વર્ષોનો સંધર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે.

પ્રાણ જાય પણ વચન ના જાયેને ખરા અર્થમાં સાબીત કર્યું મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલું ઝરખવાડા ગામના વતની દેવસિંગભાઈ દલાભાલભાઈ માલીવાડે પોતાના જીવનના 35 થી વધુ વર્ષો રામભક્તિ અને રામને સમર્પિત કર્યા હોય તેમ 1990 માં કારસેવકો સાથે 35 વર્ષની ઉંમરે અયોધ્યા ગાય હતા. તેમની સાથે આજુબાજુ ગામના ચાર યુવાનો તેમજ નંદુમહારાજ તેમજ કોઠારીબંધુ સાથે હતા. અયોધ્યા ગયા ત્યાં અનેક સંતો મહંતો ઉપસ્થિત હતા, ત્યાં ગોડી બારીમાં કોઠારીબંધુનું અવસાન થયું. ત્યાં પણ તેઓ 10 દિવસ જેલવાસ કર્યો ત્યાં ના દર્શ્યો જોઈ તેમણે ભગવાનનું ઘર બનશે, ત્યારે હું અયોધ્યા આવીશ અને મારી દાઢી મૂછ ઉતારીશ, તેવી પ્રતિજ્ઞા લીધી અને ગામે ગામ જઈ ભગવાન રામ દરેક લોકોના હદયમાં જીવિત રાખી તેમની ધૂન આજે પણ ચાલુ રાખી છે. ત્યારે 35 થી વધુ વર્ષોનો સંઘર્ષ કાર્ય બાદ હવે આ પ્રતીક્ષા પૂર્ણ થતા જાણે યુવાની જેવો ફરી ઉત્સાહ હોય તેમ હવે ઘરે ઘરે જઈ અક્ષત અને પત્રીકા વિતરણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણનો આંનદ તેમના મુખ અને ગામમાં જોવા મળે છે.

ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યાનું રાજ મૂકી વર્ષનો વનવાસ લીધો હતો. ત્યારે મર્યાદા પુરૂષોત્તમ કહેવાતા ભગવાન રામ વન વનમાં ભટકી અને લોકોના આદર્શ બન્યા અને મર્યદા પુરૂષોત્તમ પણ કહેવાયા અને આજે પણ તેમના અનેક પ્રસંગો વર્ણવાય છે. ત્યારે ભગવાન રામના વચનો સાથે અને તેમના પથપર ચાલનારા દેવસિંગભાઈ માલીવાડ પ્રાણ જાય પણ વચન ન જાય આ રીત રઘુકુળની રીત તે જ રીત સાથે આજે પણ મક્કમ રીતે દેવસિંગભાઈ પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા અનેક એવા પ્રસંગો બન્યા.જેમાં દેવસિંગભાઈ વિચલિત થતા પણ તેમણે પોતાના વચન અને ભગવાન રામને પ્રથમ રાખ્યા તેમના માતા-પિતા મૃત્યુ થયા. ત્યારે અનેક લોકોએ સમાજના અગ્રણીઓએ તેમને સમજાવ્યા કે હિંદુ રીતે રિવાજ મુજબ મુંડન કરાવવું અને સુતક ઉતારવું એક પરંપરા છે, જે પુત્ર કરવી પડતી હોય છે દેવસિંગભાઈએ નાતો માથાના વાળ ઉતર્યા ન તો દાઢીમૂછ કાઢવી આજે જ્યારે દેવસિંગભાઈના ભગવાન રામનું મંદિર અને તેમનું ઘર હવે તૈયાર થઈ ગયું છે. ત્યારે દેવશી કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. બીજી તરફ ગામના લોકોને પણ દેવસિંગભાઈ ની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે અને દેવસિંગભાઈ આજે દેવસિંગભાઈ મહારાજ તરીકે ઓળખાય છે. ત્યારે હવે ગામેગામ જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે અને પરિવારમાં એક અનેરો આનંદ છે.