અમદાવાદ, ઉત્તરાણનાં પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે. પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણનાં દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં પવનને લઈ આગાહી કરી છે. જમાં રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં પ્રતિ કલાકે ૧૦ થી ૧૨ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે વાસી ઉત્તરાયણનાં દિવસે પવનની ગતિ ઘટી ૨ થી ૧૦ કિ.મી. રહેવાના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૨૪ ની ઉત્તાયણનાં દિવસે કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, વલસાડમાં પવનની ગતિ પ્રતિ કલાકે ૧૬ કિમીની રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્યગુજરાત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, જૂનાગઢ, જામનગરમાં પ્રતિ કલાકે ૧૨ કિમી પવનની ગતિ રહેશે. તેમજ આ વખતે પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ છે. તેમજ દિવસ દરમ્યાન પવન ફરતો પણ રહેશે.
સામાન્ય પવનની વાત કરીએ તો વિરમગામ, કડી, મહેસાણા, સિદ્ધપુર, વડનગર, પાટણ, હારીજ, માણસા, રાધનપુર, મોરબી, હળવદમાં પ્રતિ કલાકે ૭ થી ૧૨ કિમીની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દ્વારકા, ઓખામાં ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે અમદાવાદમાં સવારે ૧૩ કિ.મી. તો બપોરે ૨૦ થી ૨૩ તેમજ સાંજે ૧૪ થી ૨૩ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.