ગોધરા-દાહોદ હાઇવે રોડ ઓરવાડા ગામે એકસીડન્ટમાં મરણજનારની ફરિયાદ કે પી.એમ.વગર અંંતિમ સંસ્કાર કરી દેતાં ફરિયાદ

ગોધરા, ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર ઓરવાડા ગામે 25 ડિસેમ્બરના રોજ અકસ્માતમાં મરણજનારના ગુનામાં આરોપીને પકડવાનો બાકી હોય તે અંગે પોલીસ મથકમાં જાણ કર્યા વગર અકસ્માતમાંં મરણ ગયેલ વ્યકિતના મૃતદેહનું પી.એમ. કર્યા વગર અંતિમવિધિ કરી ગુનો કરતાં 4 વ્યકિત વિરૂદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-દાહોદ હાઈવે રોડ ઉપર ઓરવાડા ગામે તા.25 ડિસેમ્બરના રોજ એકસીડન્ટમાંં વ્યકિતનું મરણ થયેલ હતું. અકસ્માતમાંં મરણ ગયેલ હોય અકસ્માત સર્જનારને પકડવાનો બાકી હોય આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપી જાણ કરવાની થતી હોય તેમજ મૃતદેહનુંં પી.એમ. કરાવ્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર કરી દેવામાંં આવ્યો હતો. આ ગુનામાં પૃથ્વીસિંહ અમરસિંહ રાઠોડ, ઉદેસિંહ મગનભાઇ પટેલ, અમરસિંહ મગનભાઇ પટેલ, પીન્ટુભાઇ કનુભાઇ પટેલ વિરૂદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.