’શ્રી રામ અમારા પૂર્વજ’, અયોધ્યાથી ’રામજ્યોતિ’ લેવા નીકળી કાશીની મુસ્લિમ મહિલાઓ

વારાણસી, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ પહેલા જ મહાદેવની નગરી કાશીમાંથી મુસ્લિમ મહિલાઓનું એક જૂથ રામના નામની અખંડ જ્યોત લઈને અયોધ્યા માટે રવાના થઈ ચૂક્યું છે. મહિલાઓએ ભગવા વો પહેરીને આ યાત્રા શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ મુસ્લિમ મહિલાઓ અયોધ્યા પહોંચીને રામ જ્યોતિ પ્રગટાવશે અને પછી તેની સાથે કાશી પરત ફરશે.

નાઝનીન અંસારી અને નજમા પરવીને એવું પ્રણ લીધું હતું કે, તેઓ ઘરોને રોશન કરવા માટે અયોધ્યાથી રામજ્યોતિ લાવશે. નાઝનીન અંસારી મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ છે. તેમનું કહેવું છે કે PM નરેન્દ્ર મોદીની અપીલ પછી જ તેમણે આ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ જ્યોતિ દ્વારા, તે કાશીના મુસ્લિમોને પણ ૨૨ જાન્યુઆરીએ તહેવાર ઉજવવા માટે અપીલ કરશે.

નાઝનીન અંસારી માને છે કે તમામ ભારતીયો શ્રી રામના જ વંશજ છે અને કોઈપણ ભારતીયનો ડ્ઢદ્ગછ અલગ નથી. તે મુસ્લિમ વિસ્તારોમાં દીવા પ્રગટાવવા માટે અપીલ કરશે. આ પહેલા પણ તે રામ નવમી અને દિવાળીના અવસરની ઉજવણી કરતી હતી. નાઝનીન અને નઝમાની આ યાત્રાને કાશીના ડોમરાજ ઓમ ચૌધરી અને પાતાલપુરી મઠના મહંત બાલક દાસ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. અયોધ્યામાં મહંત શંભુ દેવાચાર્ય આ મહિલાઓને જ્યોત સોંપશે.

મળતી માહિતી મુજબ, આ યાત્રા શરૂ થઈ છે અને રવિવારે મહિલાઓ કાશી પરત ફરશે. તે અયોધ્યાની પવિત્ર માટી અને સરયૂના જળને પણ કાશી લઈને પહોંચશે. રામ જ્યોતિનું વિતરણ ૨૧મી જાન્યુઆરીથી શરૂ થશે. અહીં તમને જણાવી દઈએ કે, નાઝનીનએ અભ્યાસ કર્યો છે અને તેણે શ્રી રામચરિત માનસ અને હનુમાન ચાલીસાનો ઉર્દૂમાં અનુવાદ પણ કર્યો છે. મહંત બાલકદાસ તેમના ગુરુ છે. તે રામ પથ નામની સંસ્થા સાથે જોડાયેલી છે. નાઝનીન કહે છે કે, શ્રી રામ તેના પૂર્વજ છે. ધર્મ પરિવર્તન કરીને પણ પૂર્વજો બદલી શકાતા નથી.

બરેલીની ઓળખ ઝરી જરદોહીથી થાય છે. બરેલીની મુસ્લિમ મહિલાઓએ રામલલા માટે કપડાં તૈયાર કર્યા છે. મેરા હક ફાઉન્ડેશનના પ્રમુખ ફરહત નકવીના નેતૃત્વમાં મુસ્લિમ મહિલાઓએ રામ મંદિરના નિર્માણ માટે દાન પણ એકત્રિત કર્યું હતું. મહિલાઓનું કહેવું છે કે તેઓ ફાળાના પૈસા અને કપડાં લઈને અયોયા જશે અને ભાઈચારાનો સંદેશ આપશે.

મુંબઈની એક મુસ્લિમ યુવતી રામ લલ્લાના દર્શન કરવા માટે પગપાળા નીકળી છે. શબનમનું કહેવું છે કે, તે ૧૪૨૫ કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચશે. તે દરરોજ ૨૫ થી ૩૦ કિલોમીટરની મુસાફરી કરે છે. તેણે ૨૧મી ડિસેમ્બરે જ આ યાત્રા શરૂ કરી હતી. શબનમ કહે છે કે, રામની ભક્તિ માટે હિંદુ હોવું જરૂરી નથી.