ગોધરામાં જય શ્રીરામના નારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું : ડબગર સમાજ દ્વારા બનાવેલા નગારાનું ભવ્ય સ્વાગત.

ગોધરા માં ડબગર સમાજ દ્વારા બનાવેલા નગારાનું ભવ્ય સ્વાગત.

ગોધરા માં ગાંધી પેટ્રોલ પંપના વિવિધ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી.

વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને ગોધરા ના ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા સ્વાગત કરીને પ્રસ્થાન કરાવ્યું

અયોધ્યા રામ મંદિરના પ્રાંગણમાં પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે દેશના વિવિધ હિસ્સાઓમાંથી રામ મંદિરને લઈ મહત્વની તૈયારીઓ થઈ રહી છે. આમ સંપૂર્ણ દેશનો માહોલ રામમય બન્યો છે. ત્યારે અમદાવાદમાં ડબગર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલા નગારાને અયોધ્યાના પ્રાંગણમાં પ્રસ્થાપિત કરવામાં આવનાર છે.

આજે ગોધરાના રામનગર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતોના હસ્તે અમદાવાદથી આવેલા નગારાનું સ્વાગત કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ડબગર સમાજ સહિત અન્ય સમાજના લોકો જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે ગોધરાનગર ભક્તિમય બનાવ્યું હતું.

ગોધરા શહેરના રામનગરમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 500 કિલોનું વિશાળ નગારાને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મહંતો દ્વારા પૂજા અર્ચના કરીને નગારાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ સ્વામિનારાયણ મંદિરથી પ્રસ્થાન કરેલા નગારાને ભુરાવાવ ચાર રસ્તા લાલબાગ બસ સ્ટેન્ડ બગીચા રોડ રાધાકૃષ્ણ મંદિર શહેરા ભાગોળ, પીમ્પ્યુટકર ચોક રામજી મંદિર થઈ હોળી ચકલા સૈયદવાડા નગરપાલિકા પાંજરાપોળ, ચર્ચ બીવી ગાંધી પેટ્રોલ પંપના વિવિધ માર્ગો ઉપર વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 500થી 700 લોકો જોડાયા હતા.

આ શોભાયાત્રા દરમિયાન પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના ડીવાયએસપી પી.આર રાઠોડ તેમજ એ ડિવિઝન પીઆઈ એન આર ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓ ખડે પગે પોતાની ફરજ નિભાવી હતી.