પરિવારને ખતમ કરનાર પોસ્ટમાસ્તરની સુસાઈડ નોટ: વ્યાજના વિષચક્રમાં ફસાઈ જતા ક્યાંયથી મદદ ન મળતા પંજાબનો પરિવાર પીંખાયો

જલંધર, પંજાબના જલંધરમાં પત્ની, બે પુત્રી અને પૌત્રીની હત્યા કરીને આત્મહત્યા કરનાર પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. પોસ્ટમાસ્ટર મનમોહને રવિવારે રાત્રે ચારેયનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ પંખે લટકી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મનમોહનની પત્ની સરબજીત કૌરનો મૃતદેહ એક અલગ રૂમમાં હતો, જ્યારે મોટી પુત્રી પ્રભજોત કૌર ઉર્ફે જ્યોતિ (૩૨), નાની પુત્રી ગુરપ્રીત કૌર ઉર્ફે ગોપી (૩૧) અને પુત્રી પ્રભજોતની પુત્રી અમન (૩)ના મૃતદેહ એક રૂમમાં હતા. મનમોહનનો પુત્ર વિદેશમાં રહે છે. પોલીસ મૃતકનો પુત્ર વિદેશથી પરત આવે તેની રાહ જોઈ રહી છે.

મનમોહને એક પાનાની સુસાઈડ નોટ છોડી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેની ૧ લાખની લોન વ્યાજ સાથે ૨૫ લાખ રૂપિયા થઈ ગઈ હતી. મેં ૭૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે, તેમ છતાં દેવું પુરુ થતું નથી. હવે જ્યારે પરિવારને ખબર પડી ત્યારે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કોઈપણ રીતે, જો હું મરીશ નહીં તો લેણદારો મને છોડશે નહીં.કેટલીકવાર વ્યક્તિ ભાંગી પડે છે અને માત્ર એક જગ્યાએ આવે છે અને હારી જાય છે. ક્યારેક મારાથી તો ક્યારેક ભાગ્યના કારણે મારી સ્થિતિ આવી છે. મેં મારા જીવનમાં ક્યારેય કોઈને છેતર્યા નથી. પરંતુ નસીબમાં કંઈક બીજું હતું. જેણે પણ મારી સાથે દોસ્તી કરી તેણે જ દગો કર્યો.

વાત શરૂ થાય છે પહેલા ૬ લાખની લોન લીધી. પરંતુ કામ-કાજ ચાલી શક્યું નહીં. જે બાદ મેં પોસ્ટ ઓફિસના ફિક્સ ડિપોઝીટ સટફિકેટ પ્રિન્ટ કરવાનું કામ શરૂ કર્યું. પણ ચાલ્યું નહીં. જે બાદ મેં ફિલ્મ મેર્ક્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ કામકાજ ન ચાલતા જે ભાગીદારો હતો તેઓ રુપિયા લઈને ફરાર થઈ ગયા હતા.

બધેથી પૈસા ઉધાર લીધા અને રોકાણ કરવામાં આવ્યું. લોન ચુકવવા માટે વ્યાજ પર વધુ પૈસા ઉછીના લેવા પડ્યા હતા. પરિવારના કોઈપણ સભ્યોને આ બધી બાબતોની જાણ નહોતી, કારણ કે પૈસાની તમામ લેવડ-દેવડ પોસ્ટ ઓફિસમાં જ થતી હતી. મેં ૨ થી ૩% ના દરે પૈસા લીધા હતા.જેની પાસેથી એક લાખ લેવામાં આવ્યા હતા અને થોડા સમય પછી તે ૧૪ લાખ રૂપિયા થઈ ગયા હતા. થોડા સમય પછી આ જ પૈસા ૨૫ લાખની આસપાસ પહોંચી ગયા હતા. સમગ્ર નાણાં પર દર મહિને ૫૦ હજાર રૂપિયાથી વધુ વ્યાજ થતું હતું. અત્યાર સુધી દરેકને ૭૦ લાખથી વધુ રૂપિયા ચુકવ્યા હતા.

વર્ષ ૨૦૦૩માં જલંધરની કુલવિંદર કૌર પાસેથી લગભગ ૧.૫૦ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. લગભગ ૪ મહિના માટે વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ તે પછી મેં આજે ૨૦ વર્ષ પસાર કર્યા. આવી સ્થિતિમાં, પૈસા વધીને લગભગ ૨૫-૩૦ લાખ રૂપિયા થઈ ગયા. કુલવિંદર કૌરે ૫૦ હજાર રૂપિયાના ૮ લાખ કરી દીધા. જ્યારે પાણી મારા માથા ઉપરથી ગયું ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ મારા પરિવારને થઈ.હવે હું મોતને ગળે લગાવ્યા સિવાય બીજું કંઈ કરી શક્તો નથી અને મારે આ કરવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો લેણદારો મને છોડશે નહીં. હું દરેકની માફી માંગવા માંગુ છું.હું સરકાર પાસેથી આશા રાખું છું કે દરેકના હકના પૈસા પાછા અપાવે, કારણ કે હવે મારી પાસે પૈસા રહ્યા જ નથી. જેમણે માંગ્યું તેમને મેં એક પછી એક બધા પૈસા આપી દીધા. જો શક્ય હોય તો, અમારા અંતિમ સંસ્કાર સરકાર દ્વારા શહેરમાં ઇલેક્ટ્રિક ફર્નેસ અથવા ગેસ ચેમ્બરમાં કરવામાં આવે. તમારો ખૂબ ખૂબ આભાર માનશે.

પોલીસે આ ઘટના અંગે ઓસ્ટ્રેલિયામાં રહેતા મનમોહનના પુત્ર ચરણપ્રીત સિંહને જાણ કરી છે. ચરણપ્રીત લગભગ ૨ વર્ષ પહેલા જ ઓસ્ટ્રેલિયા ગયો હતો. હવે તે ત્યાં ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. પોલીસનું કહેવું છે કે ચરણજીત ટૂંક સમયમાં જ ભારત પરત ફરશે, ત્યારબાદ પોલીસ તેનું નિવેદન પણ નોંધશે. ચરણપ્રીતના પરત ફર્યા બાદ પારિવારના સંસ્કાર કરવામાં આવશે.ઘટનાસ્થળે હાજર પાડોશીએ પોલીસને જણાવ્યું કે શનિવાર રાતથી પરિવારનો કોઈ સભ્ય ઘરની બહાર જોવા મળ્યા નથી. દરવાજો અંદરથી બંધ હતો. અંદરથી કોઈ અવાજ પણ આવતો નહોતો. કોઈની ચીસોનો અવાજ પણ આવ્યો નહોતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે મનમોહનના જમાઈ સરબજીત સિંહ શનિવારે રાત્રે તેમના ઘરે પહોંચ્યા.જમાઈ સરબજીત સિંહે કહ્યું- તેના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા પ્રભજોત કૌર સાથે થયા હતા. પ્રભજોત શુક્રવારે તેના મામાના ઘરે આવી હતી અને રવિવારે ઘરે પરત આવવાની હતી. પરંતુ સરબજીત સવારથી જ પ્રભજોત કૌરને ફોન કરી રહ્યા હતા. પરંતુ પ્રભજોત કૌરે એક વખત પણ તેમનો ફોન ઉપાડ્યો ન હતો.જેના કારણે તે રવિવારે રાત્રે તેના સાસરિયાના ઘરે પહોંચી ગયા હતા. સરબજીત સિંહે જણાવ્યું કે તેની પત્ની પ્રભજોત કૌર, પુત્રી અમન અને ભાભી ગુરપ્રીત કૌર ઉર્ફે ગોપી થોડા દિવસો બાદ કેનેડા જવાના હતા. ગુરપ્રીત અભ્યાસમાં સારી હતી. તેની આઈલેટ્સમાં ૮ બેન્ડ આવ્યા હતા.