હજુ સુધી પરત નથી આવી હજારો કરોડ રૂપિયાની ૨૦૦૦ની નોટો

મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) દ્વારા લગભગ ૮ મહિના પહેલા દેશમાં ૨૦૦૦ રૂપિયાની ગુલાબી નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી, પરંતુ હજુ સુધી બજારમાં હાજર ૧૦૦ ટકા નોટ પાછી આવી નથી. RBI એ ૨૦૦૦ રૂપિયાની આ નોટોને લઈને અપડેટ બહાર પાડ્યું છે અને આ આંકડાઓ અનુસાર દેશમાં લોકો પાસે હજુ પણ ૯,૩૩૦ કરોડ રૂપિયાની ગુલાબી નોટો છે. વર્ષ ૨૦૨૪ ના પહેલા દિવસે ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. ૨૦૦૦ની નોટો અંગે અપડેટ જારી કરતી વખતે, આરબીઆઈએ જણાવ્યું હતું કે પ્રતિબંધ પછી, ૯૭.૩૮ ટકા નોટ પાછી આવી છે. ગયા વર્ષે, ૧૯ મે, ૨૦૨૩ ના રોજ, ૩.૫૬ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની કુલ ૨,૦૦૦ રૂપિયાની નોટો બજારમાં ચલણમાં હતી. જ્યારે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ, આ આંકડો ઘટીને માત્ર ૯,૩૩૦ કરોડ રૂપિયા પર આવી ગયો છે. આ મુજબ ડિસેમ્બરના અંત સુધી પણ ૨.૬૨ ટકા ગુલાબી નોટ ચલણમાં હતી.

ક્લીન નોટ પોલિસી હેઠળ, રિઝર્વ બેંકે ૧૯ મે ૨૦૨૩ના રોજ દેશમાં ચલણમાં રહેલી આ સૌથી વધુ કિંમતની રૂ. ૨૦૦૦ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્રીય બેંકે સ્થાનિક બેંકો અને આરબીઆઇની ૧૯ પ્રાદેશિક કચેરીઓમાં આ નોટો પરત કરવા અને એક્સચેન્જ કરવા માટે ૨૩ મેથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપ્યો હતો. જો કે, આ પછી આ સમયમર્યાદા વધારીને ૭ ઓક્ટોબર ૨૦૨૩ કરવામાં આવી હતી.

આ તારીખ પછી રહી ગયેલી રૂ. ૨૦૦૦ની નોટો માટે આરબીઆઈએ ૮ ઓક્ટોબર, ૨૦૨૩થી રિઝર્વ બેક્ધની ઓફિસમાં એક્સચેન્જની સુવિધા ચાલુ રાખી છે. એટલું જ નહીં, સેન્ટ્રલ બેંકે સ્પષ્ટતા કરી છે કે ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી આ રૂ. ૨૦૦૦ની ગુલાબી નોટો કાયદેસરની છે અને તે ૧૯ આરબીઆઇ ઓફિસોમાં ઉપલબ્ધ છે, જે અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્ર્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ જવા ઉપરાંત, જનતા આ નોટો તેમની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા ઈન્ડિયા પોસ્ટ દ્વારા જમા કરાવી શકે છે.

સરકારે ચલણમાં રહેલી રૂ. ૫,૦૦ અને રૂ. ૧,૦૦૦ની નોટોને બંધ કરવાનો નિર્ણય લીધા પછી સેન્ટ્રલ બેક્ધે નવેમ્બર ૨૦૧૬માં રૂ. ૨,૦૦૦ મૂલ્યની નોટો રજૂ કરી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, ૨,૦૦૦ રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો. તેથી, ૨૦૧૮-૧૯માં રૂ. ૨,૦૦૦ની બેંક નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ આરબીઆઇએ જણાવ્યું હતું.