પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં શિક્ષણ નિરીક્ષક ગોધરાની છોટાઉદેપુરમાં ડીપીઓ તરીકે નિમણૂંક

ગોધરા,શિક્ષણ નિરીક્ષક તરીકે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ગોધરા ખાતે ફરજ બજાવતા ગોધરા નિવાસી જશવંતભાઈ ખાતુભાઈ પરમારનું છોટાઉદેપુર જીલ્લા ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂંક થતાં પંચમહાલના શિક્ષણ જગત અને સમાજમાં આનંદ વ્યાપી ગયો છે. તેમનું પ્રમોશન થતાં તેમના સર્જક મિત્રો વિનુ બામણીયા, કૌશિક પટેલ, સતીષ ચૌહાણ, ડો. રાજેશ વણકર, શૈલેષ ચૌહાણ સાહિત્યના મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

નોંધનીય છે કે, જસવંત પરમાર કાલોલ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા બાદ ઉત્તરોતર પરીક્ષાઓ આપી ક્લાસ ટુ તરીકે નિમાયા બાદ હાલ તેઓની ક્લાસ વન તરીકેની નિમણૂંક થતાં જીલ્લાભરના શિક્ષકો, સર્જકો તથા સમાજ માંથી શુભેચ્છાઓ મળી રહી છે.