મોરવા(હ)ના ખાનપુર અને સુલીયાત રોડ ઉપર બાઇક ચાલક ટ્રાફિક સીગ્નલ સાથે અથડાઈ જતાં બાઈક ચાલકનું મોત

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના ખાનપુર ગામે સુલીયાત જતા રોડ ઉપર બાઈક ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી પુલના છેડે લગાવેલ ટ્રાફિક સીગ્નલ બોર્ડ સાથે અથડાવી માથા અને શરીરના ભાગે ઈજાઓ થતાં ધટના સ્થળે ચાલકનું મોત નિપજાવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના ખાનપુર ગામેથી સુલીયાત જતા રોડ ઉપરથી બાઈક નં.જીજે.17.સીએફ.8370ના ચાલક ચિરાગ ઉર્ફે જીગો રધુનાથસિંહ રાઠોડ ઉ.વ.20 ( વાડોદર, મોરવા(હ)) પુરઝડપે પસાર થતા હોય અને પોતાની બાઈક પુલના છેડે લગાવેલ ટ્રાફિક સિગ્નલના બોર્ડ સાથે ધડાકાભેર અથડાવી દેતાં ચાલક ચિરાગ ઉર્ફે જીગો રાઠોડને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.