
ન્યૂયોર્ક,અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ માનનારા લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ધર્મ પ્રત્યે ઉદાસીના કારણે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યુ, જેથી પાછલાં ૫૦ વર્ષમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ૨૬% ઘટાડો થયો છે. ૧૯૭૦માં અમેરિકાના ૯૦% લોકો ખ્રિસ્તી ધર્મ પર વિશ્ર્વાસ કરતા હતા તે ત્યારે સંખ્યા ઘટીને હવે ૬૯% થઈ ગઈ છે. લાઈફ વે રિસર્ચમાં સામે આવ્યું કે લોકોએ ચર્ચ જવાનું બંધ કર્યું, જેના કારણે અત્યાર સુધી અમેરિકાના ૪૫૦૦ ચર્ચમાં તાળાં લાગ્યાં છે.
હાલમાં જ પ્યૂ રિસર્ચમાં સામે આવ્યું કે ૩૦ અને ૩૯ વર્ષના એક તૃત્યાંશ અમેરિકન જે ક્રિશ્ર્ચિયન ઘરોમાં ઉછર્યા હતા તેઓ પણ ધર્મ પ્રત્યે ઉદાસ થતાં જઈ રહ્યા છે. ફક્ત ૨૦% યુવા જ ચર્ચમાં જઈ રહ્યા છે,પણ આ આંકડો ખૂબ ઓછો છે. આગામી વર્ષોમાં આ આંકડા હજુ વધવાની સંભાવના છે. રિસર્ચ અનુસાર ૧૯૯૦માં ૩૦ અને ૩૪ વર્ષની વચ્ચેના દસ ખ્રિસ્તી પરિવારમાં ઉછરેલા લોકોમાંથી ફક્ત એક પુખ્ત વયની વ્યક્તિ નાસ્તિક હોય છે, ૨૦૨૦ની વસતી ગણતરી અનુસાર અમેરિકામાં મેનલાઈન ક્રિશ્ર્ચિયન જેવા કે, મેથડિસ, લુથરિયન અને એપિસ્કોપલિયનના જૂના ચર્ચોમાં સદસ્યતા ઝડપથી ઘટી રહી છે. આ દરમિયાન ધામક આસ્થા તેમજ ચર્ચમાં પ્રાર્થના કરતા લોકોની સંખ્યા ફક્ત ૭% જ વધી છે.
અમેરિકાની વસ્તી ૩૩.૯ કરોડ છે પણ જો આ જ દરથી ખ્રિસ્તી ધર્મને માનનારા લોકોની સંખ્યા ઘટતી ગઈ તો ૨૦૫૫ સુધી બિન-ખ્રિસ્તીઓની સંખ્યા વધારે વધી જશે. ત્યારે નાસ્તિક અમેરિકનોની સંખ્યા પણ વધશે.