સુશાંતસિંહની આત્મહત્યા પર મોટો ઘટસ્ફોટ, રોના પૂર્વ અધિકારીની ઓળખ આપનારે દાઉદનો હાથ હોવાની વાત કરી

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરાયો છે, રોના પૂર્વ અધિકારીની ઓળખ આપનાર એક વ્યક્તિએ સ્યૂસાઇડની આ ઘટનાનું દાઉદ કનેક્શન હોવાનો દાવો કર્યો છે.પૂર્વ રો અધિકારીની ઓળખ આપનારા એન.કે.સુદે વીડિયોમાં ફિલ્મ નિર્માતા સંદિપસિંહ અને મહેશ ભટ્ટ પર સનસનીખેજ આરોપ લાગ્યા છે. સુશાંતના મોત માટે પાકિસ્તાનમાં બેઠેલા ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ હોવાનું કહ્યું છે. વીડિયોમાં કહ્યું છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ આ એક હત્યા છે.

દાઉદ ગેંગના બોલીવુડમાં પક્કડ ધરાવતા લોકો સુશાંતને ફોન પર વારંવાર ધમકીઓ આપતા હોવાનું પણ અધિકારીએ કહ્યું છે. સુશાંતની બધી માહિતી ફિલ્મ નિર્માતા સંદીપસિંહ, સલમાનખાન અને કરણ જોહરને પહોંચાડવામાં આવતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

આરોપ છે કે સુશાંતસિંહની બધી જ ગતિવિધીઓ પર દાઉદ ગેંગની નજર હતી અને છેલ્લા ઘણા સમયથી સુશાંતને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો હતો, ધમકીઓના ત્રાસથી બચવા સુશાંતે 50 જેટલા સીમકાર્ડ પણ બદલી નાખ્યાં હોવાનું સામે આવ્યું છે. થિયરી મુજબ બોલીવુડમાંથી જ કોઇએ દાઉદનો સંપર્ક કરીને સુશાંતને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ.

રોના પૂર્વ અધિકારીની ઓળખ આપનારે આરોપ લગાવ્યાં છે કે હત્યા પહેલાના દિવસે ફ્લેટના સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યાં હતા અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી પણ પ્લાનિંગથી જ ઘર છોડીને ગઇ હતી. તેને મહેશ ભટ્ટ અને સંદિપસિંહના કહેવાથી સુશાંતને છોડી દીધો હતો. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે, આરોપ છે કે કેટલાક મોટા ગ્રુપો દ્રારા સુશાંતસિંહને કામ ન આપવાનું ષડયંત્ર કરાયું હતુ. ત્યારે પૂર્વ રો અધિકારીની ઓળખ આપનાર વ્યક્તિના દાવા કેટલા સાચા છે તે આગામી સમયમાં જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don`t copy text!